UK અને યુરોપમાંથી આવેલા યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરવાના આવ્યો. જેના લગભગ 1720 જટિલ પેસસેન્જરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં થી 12 યાત્રિકોના ટેસ્ટ પોઝિટિવ આયા છે..અને શરૂ થયેલા નવા કોરોના સ્ટ્રેનના કારણે નવા ટેસ્ટ કરવામાં આવી રાહ્વા છે જેનું ટેસ્ટિંગ પુના-ગાંધીનગર શરૂ કરવામાં આવ્યું છે..આ ટેસ્ટિંગના પરિણામ 8 થી 10 દિવસમાં જાણી શકાશે..
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન UKથી ગુજરાત આવ્યા છે અને તેમણે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ પોતાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો છે. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો જે વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજિકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. સામાન્યત આ સેમ્પલની તપાસ માટે 8-10 દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવારની આગળની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.
Related stories
- Advertisement -
Subscribe
- Never miss a story with notifications
- Gain full access to our premium content
- Browse free from up to 5 devices at once
Latest stories